ૐ તત્ સત્ યોગનિકેતન દ્વારા આયોજીત 

વિદ્યાર્થી મેધાસંસ્કાર શિબિર


તારીખઃ ૪ મે થી ૨૫ મે ૨૦૨૩ દરરોજ 


સમય:  સવારે ૭.૦૦ થી ૯.૦૦ (રવિવાર સિવાય)



શિબિરમાં યુવાન વિદ્યાર્થી માનસ તેમ જ ચારિત્ર્ય ઘડતર, સર્વાંગી સ્વાસ્થ્ય, ખાસ કરીને માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય, સ્વસ્થ જીવનશૈલી, રચનાત્મક કૌશલ્ય, પ્રકૃતિ પ્રવાસ, સંગીત-મનોરંજન, અભિનય, યૌગિક ક્રિયાઓ, વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે. 


શિબિરમાં સંપૂર્ણ હાજરી આપનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. 


શિબિરમાં ભાગ લેવાની યોગ્યતાઃ ધોરણ ૯, ૧૦, ૧૧, ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ  માટે આ શિબિર નિઃશુલ્ક રહેશે. 


ભાગ લેવા ઈચ્છનાર વિદ્યાર્થીઓને સંસ્થાની ઑફિસે તારીખ ૧ મે સુધીમાં સવારે ૭ થી ૧૧ અને સાંજે ૫ થી ૭ દરમિયાન રૂબરૂ આવીને ફૉર્મ ભરી જવા વિનંતી છે.